Site icon ચક્રવાતNews

મોરબીમાં રેલ્વેસ્ટેશન રોડ સીંધુભવન નજીકથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં રેલ્વેસ્ટેશન રોડ સીંધુભવન નજીક હનુમાનજી મંદિર વાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

 

મળતી માહિતી મુજબ મોરબી – રણોછડનગરની બાજુમાં શાંતિવન સોસાયટીમાં રહેતા કમલેશભાઈ માંડણભાઈ કરોતરા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૨૩-૧૦-૨૦૨૨ થી ૨૫-૧૦-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-03-BH-6205 જે મોડલ 2006 નુ કિ.રૂ.૧૫૦૦૦ વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની કમલેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version