Site icon ચક્રવાતNews

હવે બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે, આ લક્ષણો જોતાં સાવચેત રહો

કોરોના વાયરસનું જોખમ હજી ટળ્યું નથી અને આ દરમિયાન બીજી બીમારીથી લોકોની ચિંતા વધી ગઈ છે.ભારતમાં બર્ડ ફ્લૂના કેસો વધી રહ્યા છે.બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (H5N1) દ્વારા થાય છે.રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીઓ અને માનવીઓ બંને માટે  ખૂબ જોખમી છે.

બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે.બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે.આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

બર્ડ ફ્લૂનાં લક્ષણો

બર્ડ ફ્લૂને લીધે તમને કફ, ઝાડા, તાવ, શ્વસન સમસ્યાઓ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, ગળામાં દુખાવો, વહેતું નાક અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે.જો તમને લાગે કે તમે બર્ડ ફ્લૂની લપેટમાં છો, તો પછી કોઈ બીજાના સંપર્કમાં આવતાં પહેલાં ડોક્ટરને મળો.

બર્ડ ફ્લૂ કઈ રીતે થાય છે-

બર્ડ ફ્લૂ ઘણા પ્રકારના છે, પરંતુ H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને ચેપ લગાડે છે.તેનો પહેલો કેસ 1997 માં હોંગકોંગમાં આવ્યો હતો.તે સમયે બર્ડ ફ્લૂ ના પ્રકોપ ને પોલ્ટ્રી ફાર્મ માં ચેપગ્રસ્ત ચિકન સાથે જોડવામાં આવ્યું હતું .

H5N1 પ્રાકૃતિક રીતે પક્ષીઓમાં જોવા મળે છે પરંતુ તે પાળેલા ચિકનમાં સરળતાથી ફેલાય છે.આ રોગ ચેપગ્રસ્ત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોમાં લાળ અથવા આંખોમાંથી પાણીના સંપર્કને કારણે થાય છે.ચેપગ્રસ્ત ચિકનના 165ºF પર રાંધેલા માંસ અથવા ઇંડાના વપરાશથી બર્ડ ફ્લૂ ફેલાતો નથી, પરંતુ ચેપગ્રસ્ત ચિકનનાં ઇંડા કાચા અથવા બાફેલા ન ખાવા જોઈએ.

બર્ડ ફ્લૂનું જોખમ કોને છે?

H5N1માં લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા છે.ચેપગ્રસ્ત પક્ષીઓના મળ અને લાળમાં વાયરસ 10 દિવસ જીવંત રહે છે.દૂષિત સપાટીઓને સ્પર્શ કરીને આ ચેપ ફેલાય છે. મરઘાં સાથે સંકળાયેલા લોકોમાં તેનો ફેલાવો સૌથી વધુ જોખમ છે.

સારવાર શું છે?

બર્ડ ફ્લૂના વિવિધ પ્રકારોનો જુદી જુદી રીતે ઉપચાર કરવામાં આવે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેની સારવાર એન્ટિવાયરલ દવાઓથી કરવામાં આવે છે.લક્ષણો દર્શાવ્યાના 48 કલાકની અંદર દવાઓ લેવી જરૂરી છે.બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ ઉપરાંત, ઘરના અન્ય સભ્યો કે જેઓ તેમના સંપર્કમાં આવે છે, તેઓને પણ આ રોગની દવા લેવાનું સૂચન આપવામાં આવે છે, જો તેઓમાં રોગના લક્ષણો ન હોય તો પણ.

Exit mobile version