Site icon ચક્રવાતNews

મોરબીના રફાળીયા ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના રફાળીયા ગામે આંબેડકર કોલોની પાછળ રહેણાંક મકાનમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળીયા ગામે આંબેડકર નગરની પાછળ રહેતા ભીમાભાઇ કાંતિભાઇ કાંજીયા (ઉ.વ.૨૮) નામના યુવાને ગત તા. ૧૯-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં કોઈ કારણોસર પોતાની મેળે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version