Site icon ચક્રવાતNews

રાષ્ટ્રીય એકતા દિવસ અન્વયે કલેક્ટર સહિતના અધિકારી/કર્મચારીઓએ શપથ લીધા

ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં દર વર્ષે ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી ખાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા.

ભારત સરકારના ગૃહ મંત્રાલય વિભાગના સંકલન અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાના આશય સાથે ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય એકતા દિવસ અન્વયે આજે ૩૦ ઓક્ટોબરે કલેકટર કચેરી ખાતે મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યા સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સલામતી માટેના શપથ લીધા હતા.

Exit mobile version