ચમનપર ગામમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરણાથી મેઘલાડુનું આયોજન કરાયું
Morbi chakravatnews
સરપંચની આગેવાની હેઠળ યુવાનો દ્વારા કરાયું આયોજન
રાજયમંત્રીબ્રિજેશભાઇ મેરજાના માદરે વતન એવા ચમનપર ગામમાં તેમની પ્રેરણાશ્રી મેઘલાડુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે મેહુલો મન મુકીને વરસે તે માટે મેઘલાડુના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. ચમનપર ગામમાં સરપંચની આગેવાની હેઠળ યુવાઓના સહયોગથી મેધાલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના સમરસ આર્દશ ગામ એવા ચમનપરમાં હરિયાળા વૃક્ષો વચ્ચે મોરલાના અસંખ્ય ટહુંકારા ગુંજી રહ્યા છે ત્યારે રાહ જોવાઈ રહી છે કે, મેહુલિયો સર્વત્ર મન મુકીને વરસે !