મૂળ અમદાવાદના વતની અને હાલ હળવદ કુંભાર દરવાજા કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટમાં રહેતા નાગરભાઈ હનુભાઈ કોગતીયા ઉ.વ.૪૭ વાળા છત (ધાબા) ઉપર સુતા હોય ત્યારે વહેલા પેશાબ કરવા ઉઠેલ ત્યારે ઉંઘમા છતના પગથિયા ભુલી જતા છત (ધાબા) ઉપરથી નિચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા નાગરભાઈ નામના આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.