હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે
Morbi chakravatnews
મોરબી: હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા નેચરલ વસ્તુઓનું વેંચાણ તા. ૦૮ ને રવિવારે સવારે ૮ થી બપોરે ૧૨ કલાક સુધી માર્કેટિંગ યાર્ડ ગેટ બહાર, આરડીસી બેંક બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે કરવામાં આવશે
જેમાં રાહતદરે ફૂલછોડનું વિતરણ કરાશે તેમજ ડાંગની રાગીનો લોટ મળશે. હરડે પાવડર,ગૌમૂત્ર અર્ક,દેશી ગોળ, કેળા ના પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી, દેશી ટામેટા,ગોલ્ડન બેરી સહિતની ચીજવસ્તુઓ મળશે જેનો લાભ લેવા મોરબી હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદી જણાવે છે