Site icon ચક્રવાતNews

મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીકથી સીએનજી રીક્ષાની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક રીઝેન્સી મોલની સામેથી કોઈ અજાણ્યો ઈસમ સીએનજી રીક્ષાની ઉઠાંતરી કરી ગયો હવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ મોરબી -૨મા કાંન્તીનગરમા મસ્જીદ વાળી શેરીમાં રહેતા યુનુશભાઈ ઇબ્રાહિમભાઈ પલેજા (ઉ.વ.૪૭) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક રીઝેન્સી મોલની સામેથી કોઈ અજાણ્યો ઈસમ ફરીયાદીની બજાજ કંપનીની રી કોમ્પેક્ટ સી.એન.જી. રિક્ષા રજીસ્ટર નં. જી.જે.-૩૬-યુ-૨૧૮૬ એંજીન નં. AZYWH841414 ચેચીસ નં. MD2A27AY3HWB82164 કિ.રૂ. ૮૫૦૦૦/- વાળી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version