Site icon ચક્રવાતNews

વાંકાનેરના કૈલાશ આશ્રમ ખાતે રવિવારે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે…

વાંકાનેરના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી પ્રભુલાલજી મહારાજ દ્વારા સંચાલિત શ્રી કૈલાશ આશ્રમ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આગામી રવિવારના રોજ કૈલાસ આશ્રમ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નિદાન કેમ્પમાં રાજકોટનાં સુપ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય વૈધ શ્રી ભરતભાઈ જાની સેવા આપશે, જેથી વાંકાનેરના નાગરિકોને આ આયુર્વેદિક નિદાન કેમ્પનો લાભ લેવા શ્રી કૈલાશ આશ્રમ ગો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા અપીલ કરવામાં આવી છે…

Exit mobile version