Site icon ચક્રવાતNews

મહા શિવરાત્રી 2021: મહાશિવરાત્રી પર શિવપૂજા દરમ્યાન ભૂલથી પણ ન કરો આવી ભૂલ.

આજે મહા શિવરાત્રીનો તહેવાર છે. આ દિવસે ભોલે ભંડારીના ભક્તો કૈલાસપતિ રીઝવવા માટે વિવિધ ઉપાય કરે છે,અને આ પર્વની ઉજવણી કરે છે. શિવની ઉપાસના દરમ્યાન ઘણી વાર તેમના ભક્તો દ્વારા અજાણી ભૂલ પણ થઇ જાય છે. ચાલો આપણે જાણીએ કે મહાશિવરાત્રી દરમિયાન તમારે કયું કાર્ય સખત રીતે ટાળવું જોઈએ. આ દિવસે સ્નાન કર્યા વિના કંઈપણ ન ખાવું. વ્રત ન હોય તો પણ, સ્નાન કર્યા વિના ખોરાક ગ્રહણ ન કરો. જો તમે મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હો, તો આ દિવસે કાળા વસ્ત્રો પહેરશો નહીં. આ દિવસે કાળા વસ્ત્રો પહેરવા એ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રદ્ધાળુઓએ શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ ગ્રહણ કરવો ન જોઈએ કારણ કે તે દુર્ભાગ્ય તરફ દોરી જાય છે. આમ કરવાથી પૈસાની ખોટ થાય છે અને રોગો પણ થઈ શકે છે.

શિવની પૂજા કરતા સમયે આ બાબતનું રાખો ધ્યાન

શિવલિંગ પર ક્યારેય તુલસીના પાન ન ચઢાવો. શિવલિંગ પર પેકેટના દૂધનો અભિષેક ન કરવો જોઇએ અને શિવલિંગ પર માત્ર ઠંડુ દૂધ ચઢાવવું અભિષેક હંમેશા એવા પાત્રથી કરવો જોઈએ જે સોના, ચાંદી અથવા કાંસાથી બનેલો હોય, સ્ટીલના વાસણોનો ક્યારેય ઉપયોગ ન કરો. ભગવાન શિવને ભૂલથી પણ કેતકી અને ચંપા ફૂલો ન ચઢાવો. એવું કહેવામાં આવે છે કે આ ફૂલોને ભગવાન શિવ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો. કેતકી સફેદ ફૂલ હોવા છતાં, તેને ભોલેનાથની પૂજામાં અર્પણ ન કરવું જોઈએ. શિવરાત્રીનો ઉપવાસ સવારથી શરૂ થાય છે અને બીજે દિવસે સવાર સુધી ચાલે છે. વ્રતમાં ફળો અને દૂધ લેવું જોઈએ, જો કે, સૂર્યાસ્ત પછી, તમારે કંઈપણ ન ખાવું જોઈએ. ભગવાન શિવની ઉપાસનામાં ભૂલથી પણ તૂટેલા ચોખા અર્પણ ન કરવા જોઈએ. અક્ષતનો અર્થ છે અતૂટ ચોખા, તે પૂર્ણતાનું પ્રતીક છે. તેથી, શિવજીને અક્ષત અર્પણ કરતી વખતે ખાસ જુઓ કે તૂટેલા તો નથી ને. સૌ પ્રથમ શિવલિંગ પર પંચામૃત અર્પણ કરવું જોઈએ. પંચામૃત એટલે કે દૂધ, ગંગાજળ, કેસર, મધ અને પાણીનું બનેલું મિશ્રણ. જેઓ ચાર પ્રહરોની પૂજા કરે છે તેમને પ્રથમ પ્રહરનો અભિષેક જળ, બીજા પ્રહરનો અભિષેક, દહી, ત્રીજા પ્રહરનો અભિષેક ઘી સાથે અને ચોથી પ્રહરનો અભિષેક મધ સાથે કરવો જોઈએ. શિવરાત્રીના દિવસે શિવને ત્રણ પાનવાળું બીલીપત્ર અર્પણ કરો અને આ બીલીપત્ર અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે ડાળી તમારી બાજુ રહે. તૂટેલા બીલીપત્ર અર્પણ ન કરો. શિવલિંગ પર ક્યારેય કુમકુમ તિલક ન લગાવો. મહાશિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવા માટે તમે ચંદનનું તિલક કરી શકો છો. જો કે, ભક્તો દેવી પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિ પર કુમકુમનુંતિલક કરી શકે છે.

Exit mobile version