Site icon ચક્રવાતNews

માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત 

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાંથી નીકળતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા ઉં.વ. ૪૦ વાળા ટીકર ગામ તથા નવા ઘાંટીલા ગામ વચ્ચે નીકળતી નર્મદા કેનાલમા ન્હાવા જતા અકસ્માતે કેનાલના પાણીમા પડી જતા ખપુરીયાભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version