Site icon ચક્રવાતNews

મોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળની ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી.

પ્રતિનિધિમંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી. નાણાં મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

ઉદ્યોગ મંત્રી સમક્ષ MSME કાયદામાં ૪૫ દિવસની અંદર ચુકવણીની જોગવાઈથી મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને પડતી કેશફ્લોની સમસ્યાઓ રજૂ કરી સુધારા કરવાની માંગણી કરવામાં આવી. મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી.

Exit mobile version