Site icon ચક્રવાતNews

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આજરોજ ફાયર સેફટી જાગૃતિ હેતુસર બે અલગ -અલગ જગ્યાએ ટ્રેનિંગ આપવામાં આવી

જેમાં નવનિર્માણ ક્લાસીસ, મહાજન ચોક ખાતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને અને વર્લ્ડ ઇન્બોક્ષ એકેડમી, રવાપર રોડ જ્યાં સ્પર્ધાત્મક તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી.

આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ અને વિધાર્થીઓએ કરેલ.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.

Exit mobile version