પહેલા નબળા રોડ બનાવી અને પછી તેને મરમ્મત કરી ભ્રષ્ટાચાર ની સાઈકલ ચાલુ રાખવા ની પાલિકા ની નીતિ કે શું ? નિયત સમય પહેલા તૂટેલા રસ્તા પર અત્યાર સુધી માં પાલિકા એ શું પગલા ભર્યા ??
મોરબી તા : મોરબી પાલિકા અંતર્ગત બનેલા રોડ રસ્તા તેની કાર્ય ક્ષમતા અને આવરદા પહેલા જ તૂટી જતા હોય છે અને બાદ માં તેના પર પાલિકા થીંગડા મારી કામ ચલાવી લે છે. આમ જ્યારે મોરબી ના લોકો ને એમ લાગે કે રોડ નું કામ થઇ જતા રાહત મળશે તે પહેલાજ બનેલા રોડ રસ્તા ભ્રષ્ટાચાર ની સાબિતી આપતા હોય તેમ હાડ પિંજર માં પરિવર્તિત થઇ જતા હોય છે
હાલ સિરામિક નગરી તરીકે ઓળખાતું મોરબી બિસ્માર રોડ રસ્તા નાં શહેર તરીકે જાણીતું બન્યું છે

