Site icon ચક્રવાતNews

મોરબીમાં જગતગુરુ રામાંનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી નિમિતે મીટીંગ યોજાશે

મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તા. ૨૧-૦૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે ઉજવણી અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તારીખ ૧૨-૦૧ ના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે મીટીંગનો એજન્ડા જગતગુરુ શ્રીની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમ અંગે અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે રહેશે જેથી મીટીંગમાં જ્ઞાતિબંધુઓએ પધારવા જણાવ્યું છે.

Exit mobile version