મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ-તખ્તસિંહજી રોડ પર અવર જવર અંગે જાહેરનામું પ્રસિદ્ધ
Morbi chakravatnews
મોરબી નગરપાલિકા દ્વારા શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોય આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, આ રૂટ પર નવો રોડ બનાવવાની કામગીરી કરવા માટે વાહનોની આવન- જાવન પર આગામી તારીખ ૧૯/૦૧/૨૦૨૫ સુધી અથવા તો આ કામગીરી વહેલી પુર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જેમાં વૈકલ્પિક રોડ તરીકે અત્રે જણાવેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે.