મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી સનવીસ સીરામીક ના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સીનીબેન અજય નાયક (ઉ.વ.૨૨) રહે-રંગપર ગામની સીમ પાવડીયારી સનવીસ સીરામીક ના લેબર કવાર્ટરમાં મોરબી મુળ રહે-ઝારખંડ વાળી સનવીસ સીરામીક ના લેબર ક્વાર્ટરમાં કોઇ કારણસર પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.