મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં રહેતી સંસ્કૃતિએ SSC બોર્ડમાં 95.83% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી
Morbi chakravatnews
મોરબી: મોરબી નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતી અન મોરબી ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં રહેતી સંસ્કૃતિબેન અશ્વિનભાઈ દેત્રોજાએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૯.૬૮ પર્સનટાઈલ રેન્ક સાથે ૯૫.૮૩% તથા ગણીતમા ૧૦૦ માંથી ૧૦૦ માર્ક મેળવી માતા પિતાનું નામ ગર્વાન્વિત કર્યું છે. બોર્ડ એક્ઝામમાં ઉચ્ચ સફળતાથી પરિજનો અને પરિચિતો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે . સંસ્કૃતિએ સફળતા પાછળ અથાગ મહેનતની સાથે સાથે માતા પિતા નો સતત સહકાર અને હૂફ, તેમજ શાળાના સ્ટાફગણ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને પ્રોત્સાહનને સફળતા માટેનું કારણ બતાવી આભાર વ્યક્ત કર્યો હતો.