સંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વિતીય વર્ષે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન
Morbi chakravatnews
માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 12/09/2025 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના RTO ની સામે, મોરબી ખાતે શુભારંભ થશે. જેમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, સરબત, નાસ્તો, રહેવા, મેડિકલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ લેવા સંગમ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓને વિનંતી કરીએ છીએ. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો. સંદિપસિંહ જાડેજા- 83472 99946, વિશ્વરાજસિંહ જાડેજા- 83069 14014, શક્તિસિંહ ઝાલા-96875 35939, શિવાંગભાઈ નાનક -99255 65508.