Site icon ચક્રવાતNews

સાવધાન: ચાંદીપુરા વાયરસ મોરબીમા પગપેસારો કરે તે પહેલા તંત્ર અને બાળકોનાં વાલીઓ એલર્ટ થઈ જાવ

મોરબી: દેશમાં કોરોના વાઇરસ બાદ એક નવા વાઈરસે પગ પેસારો કર્યો છે જેનું નામ ચાંદીપુરા વાઇરસ છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે છ બાળકો મૃત્યુ પામ્યાં છે.

ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્રના નાગપુરમાં ચાંદીપુરા નામની જગ્યાએ 1966માં સામે આવ્યો હતો. ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું છે . આ વાયરસના કેસ 2004 થી 2006 અને ફરીથી 2019 માં જોવા મળ્યા હતા. આ વાયરસનું કેન્દ્ર માત્ર થોડા જ રાજ્યોમાં જોવા મળ્યું છે – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત.

ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે. આ વાયરસની મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જે પણ મૃત્યુ થયા છે, તે આ વયજૂથમાં જોવા મળ્યા છે. મોટી વાત એ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી.

અત્યારે ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો જોવા મળ્યા છે. ત્યારે આ વાઇરસ મોરબીમાં પગ પેસારો કરે તે પહેલાં તંત્ર અને વાલીઓએ અલર્ટ થઈ જવુ જોઈએ અને બાળકોની કાળજી રાખવી જોઈએ જેથી બાળક ચાંદીપુરા વાઇરસની ઝપેટમાં ન આવે ચાંદીપુરા વાઇરસથી બાળકોના ટપોટપ મોત નિપજી રહ્યા છે ત્યારે મોરબી વાસીઓને આ ચાંદીપુર વાઇરસને ગંભીર લઈ નીચે મુજબ કાળજી રાખવી જોઈએ.

ચાંદીપુરા રોગનાં લક્ષણોમાં સામાન્ય રીતે

હાઈગ્રેડ ફીવર (બહુ જ ઊંચા તાપમાનવાળો તાવ), ઝાડા, ઊલટી, ખેંચ આવવી, અનિદ્રા અર્ધબેભાન અવસ્થા, અમુક કલાકોમાં કોમામાં, ચામડી ઉપર ઉપસેલાં ચિન્હો.

શું સાવચેતી રાખવી જોઈએ ?

ઘર અને આજુબાજુની જગ્યાએ સાફ સફાઈ રાખવી, ઉકરડા ગામથી દૂર રાખવા, મચ્છરદાનીમાં ઊંઘવું, પાણી ભરાઈ ના રહે તે સુનિશ્ચિત કરવું, મચ્છર, માખીનો ઉપદ્રવ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ.

Exit mobile version