મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકે અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફ ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને અંગત બાતમીદાર તથા ટેકનિકલ સોર્સ દ્રારા બાતમી મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬, મુજબના ગુન્હાના કામનો આરોપી ઉમાશંકર ગૌરાંગાસુંદર ભુણીયા ફરીયાદીની સગીર વયની દિકરીને એરાક્રોન સીરામીક માટેલ રોડ, ઢુવાથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી કોલકતા હોવાની હકીકત આધારે AHTU ટીમ દ્રારા કોલકતાથી હસ્તગત કરી તેમજ ભોગ બનનારને પણ શોધી કાઢેલ છે. અને વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને સોપવામાં આવેલ છે.