Site icon ચક્રવાતNews

મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવમાં આવશે

મોરબી: તા. ૦૪-૦૮-૨૦૨૪ ને રવિવારના રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ રવાપર રોડની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા જણાવાયું છે. તથા આં કેમ્પમા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબનાં સભ્યો સેવા આપશે.

આ કેમ્પ સવારના ૧૦:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમ્યાન નીલકંઠ સ્કૂલ સામે આવેલી વિશ્વકર્મા સોસાયટી ના હનુમાનજી મંદિર,રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Exit mobile version