Site icon ચક્રવાતNews

માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના મામલે ABVP મોરબી દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

આજ રોજ મોરબી જિલ્લા ના માળિયા તાલુકા ની કન્યા શાળા માં વર્ષો જુનો ભોય ટાંકા ની છતનો ભાગ તુટી પડતા શાળા ની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકા મા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકા ને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે કદાચ આ વિદ્યાર્થી ઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ?


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા કલેક્ટર ને માંગ કરવામાં આવી કે મોરબી જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગી મા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો જે મોજુદા શાળા માં હોય તો તેને તાત્કાલિક અસર થી દુર કરાવવી ભવિષ્ય માં અકસ્માત ન સર્જાય તેમજ વિદ્યાર્થીઓ નાં જાન અને જોખમ ઉભુ ન થાય તેવા પગલા તુરંત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Exit mobile version