આજ રોજ મોરબી જિલ્લા ના માળિયા તાલુકા ની કન્યા શાળા માં વર્ષો જુનો ભોય ટાંકા ની છતનો ભાગ તુટી પડતા શાળા ની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકા મા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકા ને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે કદાચ આ વિદ્યાર્થી ઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ?
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા કલેક્ટર ને માંગ કરવામાં આવી કે મોરબી જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગી મા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો જે મોજુદા શાળા માં હોય તો તેને તાત્કાલિક અસર થી દુર કરાવવી ભવિષ્ય માં અકસ્માત ન સર્જાય તેમજ વિદ્યાર્થીઓ નાં જાન અને જોખમ ઉભુ ન થાય તેવા પગલા તુરંત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...