આવતી કાલે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ફાળવણી પત્ર એનાયત કરાશે

મોરબીમાં આવતીકાલે શુક્રવારે નગરપાલિકા દ્વારા બનાવેલા પ્રધાનમંત્રી આવાસોના લાભાર્થીઓને મકાન સોંપણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને સસ્તા દરે ઘરનું ઘર મળી રહે તે માટે આવાસો બનાવવામાં આવ્યા છે. આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યે હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી , શનાળા રોડ મોરબી ખાતે નગરપાલિકા દ્વારા બનાવેલા પ્રધાનમંત્રી આવાસોને લાભાર્થીઓને સોંપવામાં આવશે. જેમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ તેમજ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની ઉપસ્થિતમાં લાભાર્થીઓને મકાનનો ફાળવણી પત્ર એનાયત કરાશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img