ઉમિયા માનવ મંદિરમાં યોજાનાર કથા અંગે રવિવારે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ

લજાઈ નજીક ઉમિયા માનવ મંદિરમાં સંસાર રામાયણ પારાયણનું આયોજન

ટંકારા : ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણનું કામ પૂરું થવા આવ્યું છે.આગામી મે માસમાં સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.તથા મંદિરના દાતાઓના સન્માન કરવામાં આવશે અને સંસાર રામાયણ પારાયણના આયોજન અંગે ઉમિયા માનવ મંદિર ખાતે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ મળશે.

ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર પાસે ઉમિયા માનવ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઉમિયા માનવ મંદિરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે.ત્રીસ વિઘાના કેમ્પસમાં નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપનાર તમામ દાતાઓના સન્માન માટે સતશ્રીની સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન આગામી મે માસમાં થશે.આ આયોજન માટે તમામ ટ્રસ્ટીઓની મીટીંગ આગામી તા.૧૩ને રવિવારના રોજ સાંજે ૫ વાગ્યે લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર પાસે ઉમિયા મંદિર ખાતે મળશે.તેવું પોપટભાઈ કગથરા પ્રમુખની યાદીમાં જણાવવામાં આવે છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img