ધક્કાવારી મેલડી મંદિરે માતાજી નો નવરંગ માંડવો યોજાશે

કળિયુગની હજરા હજૂર દેવી લોકોના દુઃખ દૂર કરનારી માં મેલડી ની વાત જ ન્યારી છે મોરબી શહેર માં રેલ્વે સ્ટેશન નજીક આવેલા આસ્થા અને શ્રદ્ધા ના પ્રતીક સમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી ના મંદિરે તા ૧૧/૪ /૨૦૨૨ ને સોમવાર ના રોજ મેલડી માતાજી ના નવરંગ માંડવા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ ને રાત્રે ૯:૩૦ કલાકે માતાજી ના નવરંગ માંડવો યોજાશે.

જેમાં શિવરાજ પુરવાળા રાવળદેવ શ્રી હરદેવભાઈ માતાજી ના દુહા,ગરબા, ગાઈ ડાકલા ની રમઝટ બોલાવશે જેમાં માતાજી ના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહેશે. બહોળી સંખ્યા માં ભક્તો ને આ માતાજી ના નવરંગ માંડવા ના દર્શન ને પ્રસાદ નો લાભ લેવા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ની યાદી માં જણાવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img