મોરબી : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના રહેવાસી અને ઘુંટુ નજીક આવેલ ઉમા રેસીડેન્સી નામની સોસાયટીમાં મામામાં ઘરે વેકેશનની રજાઓ ગાળવા આવેલ બાળક પર્વ ભાવેશભાઈ વિડજાનું તેનાં મામાના ઘર નજીક પાનની દુકાન ચલાવતો રાજેશ જગોદરા પોતાના બાઈકમાં અપહરણ કરી નાસી ગયો હતો જે ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસ સહિત એલસીબી ટીમ બાળક અને રાજેશ જગોદરાનો પતો મેળવવા કામે લાગી હતી અને ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ દ્વારા રાજેશ જગોદરાને ટ્રેસ કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ ગ્રામ્ય અને જામનગર સહિતના આજુબાજુના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું ત્યારે આજે મોડી રાત્રે અપહરણ થયેલ બાળક પર્વ સાથે આરોપી રાજેશ જગોદરાને મોરબી એલસીબી ટીમે જામનગર એલસીબીની મદદથી જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી ઝડપી લીધાના સમાચાર મળતા બાળકના પરિવારજનો અને પોલીસે રાહતના શ્વાસ લીધા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...