મોરબી: મોરબી – માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક અન્નપૂર્ણા હોટલ સામે રોડ ઉપર વેગેનઆર કારે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ યમુનાનગર -૨ કુળદેવી પાન સામે રહેતા જીગ્નેશભાઈ રોહિતભાઈ ચાવડા (ઉ.વ.૩૪) એ આરોપી વેગનઆર કાર રજીસ્ટર નંબર- GJ-11- BH-5091 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં આરોપી વેગનઆર મોટરકાર નંબર GJ-11-BH-5091 વાહન ચાલકે પોતાના હવાલા વાળૂ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી ફરિયાદી તેમજ તેના ભત્રીજા રાહુલભાઈ પ્રભાતભાઈ ચાવડા ઉ.વ.૨૭ વાળા તેમનું હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર GJ-03-HD-9564 વાળું રોડના સાઈડ પર ચલાવી જતા હતા ત્યારે ઉપરોક્ત સમયે અને જગ્યાએ ફરીયાદીનાં મોટરસાયકલને હડફેટે લઇ પછાડી દેતા ફરીયાદીના ભત્રીજા રાહુલભાઈને માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ ફરિયાદીને બંને પગમાં ,કમરમાં છાતીના ભાગે ગંભીર ફેકચર જેવી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જીગ્નેશભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ- ૨૭૯ ,૩૩૭, ૩૩૮,૩૦૪(અ) તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...