પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ ઘર કંકાસ માનવામાં આવી રહ્યું છે.
મોરબી શહેરના સામાંકાઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં મોડી સાજે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ હત્યા એક મહિલાની થઇ હતી જેમાં ખુદ તેના પતિએ જ મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દઈ બોથડ પદાર્થનો ઘા ઝીકી પતાવી દેતા ચકચાર પતાવી ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું મોરબી શહેરના વિધુતનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત નામની મહિલાની તેમના પતિ પ્રવીણભાઈ કુબાવત દીવસ દરમિયાન મોઢામાં ડૂચો દઈ માથાના ભાગે દસ્તાના ઘા ઝીકી હત્યા કરી હતી બાદમાં ઘર બંધ કરી ભાગી છૂટ્યો હતો ઘરમાં તાળું જોતા નાની દીકરીએ આસપાસના લોકોને જાણ કરતા સ્થાનિકોએ ઘરમાં તપાસ કરતા ભાવના બેનનો મૃતદેહ પડ્યો હતો જે બાદ સ્થાનિકોએ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકની દીકરીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...