સંરપચો સામાજિક આગેવાનો તેમજ ઉધોગપતિઓ ને હાજર રહેવા અનુરોધ કરાયો
મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આમ જનતા ના ત્વરિત ન્યાય માટે સમયાંતરે લોકદરબાર નું આયોજન થતુંજ હોય છે અને લોકદરબારમાં આમ જનતા ની ફરીયાદો નું નિરાકરણ લાવી ની યોગ્ય ન્યાય મલે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે આગામી તા.15માર્ચના રોજ મોરબી તાલુકાના બગથળા આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસવડા કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.15માર્ચના રોજ બગથળા ખાતે આવેલ આઉટ પોસ્ટમાં સાંજે 5 વાગ્યે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ લોકદરબાર રાખવામાં આવ્યો છે.જેથી તમામ ઉધોગપતિઓ, સરપંચ, સામાજિક આગેવાનોને લોકદરબારમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ લોકદરબારમાં નાગરિકો લેખિત મૌખિક સ્વરૂપે પોલીસ ખાતાને લાગતી રજૂઆત અને સૂચનો પણ કરી શક્શે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...