આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની મોરબી જિલ્લા દ્વારા લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી અને કચ્છ ની બહેનો એસટી બસ મારફતે પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા માટે ભાવનગર જઇ રહી હોય તેમનાં માટે ઉનાળા ની કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવાં ઉમદા હેતુથી નવાં બસ સ્ટેન્ડ પાસે ઠંડી લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું
ઠંડી લસ્સી પીવડાવી પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા જઇ રહેલી તમામ બહેનો ને રવાના કરવામાં આવી હતી આ પ્રસંગે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા અઘ્યક્ષ રમેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા અઘ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લા સંયોજિકા ઝંખનાબેન દવે, સેવાવિભાગ સંયોજિકા જયશ્રીબેન વાઘેલા સહીતના દુર્ગાવાહિનીના બેહનો જોડાયા હતા
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...