મોરબી: આજે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૨૫મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ઉમા કળશ યોજના વિશે માહિતી આપી અને આ યોજનામાં જોડાવા માટે પાટીદાર સમાજને અનુરોધ કરવામાં આવ્યો હતો.
સમાજ ઉત્કર્ષના ભગીરથ કાર્ય માટે માઁ ઉમિયાના ચરણોમાં ‘તારુ તુજને અર્પણ’ના ભાવ સાથે માઁ ઉમા કળશ યોજના અંતર્ગત માઁ પધાર્યા મરે ઘેર’ના ભાવ સાથે આપણા ઘેર કળશનું સ્થાપન કરાશે. સ્થાપિત કળશમાં પરિવારના દરેક સભ્ય દીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપિયાથી લઇ યથાશકિત રકમનું યોગદાન આપવાનું રહેશે. કળશની રકમ દર ૬/૧૨ મહીને રૂ. ૩૬૫/-ની પ્રિન્ટેડ પાકી પહોંચ આપી એકત્રિત કરવામાં આવશે. આ રકમ ઓનલાઈન બેંકમાં પણ જમા કરાવી શકાશે.
કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ જ રીતે સૌ પાટીદાર પરિવારો એક થઈને એકતા અને અખંડિતતાના ઉદાહરણરૂપ માઁ ઉમા કળશ યોજનામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ઉમા કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. તથા પ્રતિવર્ષ આવક – જાવકની વિગત પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમા કળશ યોજના થકી આપવામાં આવેલ આપનું અનુદાન કોઈ વિધવાના આંસુ લૂછવામાં મદદરૂપ થશે, કોઈ નિરાધારનું ભોજન બનશે, કોઈ વિદ્યાર્થીને વિદ્યાદાન મળશે, કોઈ જરૂરિયાતમંદ દર્દીની સારવાર બનશે. યાત્રાળુઓની સુવિધામાં વધારો કરશે.
તેમજ કળશ યોજના નિધિનો ઉપયોગ આરોગ્ય સહાય, આરોગ્ય પ્રવૃત્તિઓ, શિક્ષણ સહાય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિધવા, ત્યકતા, નિરાધાર, અનાથને સહાય, વૃક્ષ ઉછેર, જળસંચય, સ્વચ્છતા જેવા પર્યાવરણ કાર્યક્રમો, કૃષિ માર્ગદર્શન શિબિર, કૃષિકાર કલ્યાણ પ્રવૃત્તિઓ, યુવા પ્રવૃત્તિઓ, રોજગાર માર્ગદર્શન, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, મહિલા સંગઠન વિગેરે સામાજિક કાર્યક્રમો સેવા પ્રકલ્પો માટે જ વપરાશે.
જ્યારે કળશ યોજનામાં જોડાનારા પરિવારને UK Card (ઉમાં કળશ કાર્ડ) આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ વસ્તુઓની ખરીદીમાં વિશેષ વળતરનો લાભ મળી શકશે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...