ભુદેવોની નગરી હળવદ ખાતે અક્ષય તૃતીયા ( અખાત્રીજ) ના શુભ દિને સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા ભગવાન પરશુરામ ની જન્મજયંતિ નિમિતે ભગવાન પરશુરામ ની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
હળવદ ના ભૂદેવો દ્વારા આજ સવાર થી ભગવાન પરશુરામજી ની પુજા કરવા માટે હળવદ પરશુરામ મંદિર ખાતે ભુદેવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભગવાન પરશુરામ ની પુજા કર્યા બાદ પરશુરામ ભગવાનનું પ્રીય શસ્ત્ર ફરસી ની પુજા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી આજ બપોરે ભગવાન પરશુરામની શોભાયાત્રા ૪:૦૦ કલાકે પરશુરામ મંદિર ખાતે થી નીકળશે અને ત્યાંથી શરણેશ્વર મહાદેવ મંદિર,દરબાર ચોક,લક્ષ્મીનારાયણ ચોક, મેઈન બજાર,થી બ્રાહ્મણની ભોજનશાળા હળવદ સુધી ભગવાન પરશુરામ નગરયાત્રા એ નીકળશે પરશુરામ ભગવાન ની શોભાયાત્રામાં દરેક ભુદેવો બ્રાહ્મણવેશ ( ધોતી કુર્તા) પહેરી ને યાત્રામાં જોડાશે ભુદેવોની આ નગરી ની ખાસીયત છે કે દરેક ભુદેવો હાલ પણ પોતાના બ્રહ્મ તેજ થી વિશ્વભર માં પ્રખ્યાત છે ત્યારે ભુદેવો ની આ પવિત્ર નગરીમાં આજરોજ ભગવાન પરશુરામ ભગવાન ની શોભાયાત્રા નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગ ને સફળ બનવવા બ્રહ્મ અગ્રણી જીગરભાઈ મહેતા,અજયભાઇ રાવલ,વિજયભાઈ જાની,ધર્મેશભાઈ જોષી,મિહિર ભાઈ રાવલ,દીપકભાઈ જોષી,અમનભાઈ દવે,જીતેન્દ્રભાઈ જાની ( હની )પ્રવીણભાઈ દેરાશ્રી,કેતનભાઈ દવે,પુલકેશભાઈ જોષી, તેમજ પરશુરામ ગ્રુપ ના દરેક સભ્યો ખુબ સુંદર મજાનું આયોજન કર્યું છે
રવી પરીખ હળવદ
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...