મોરબી નીલકંઠ વિદ્યાલય ખાતે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા જ્ઞાન દાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં ડો.સતિષ પટેલે લખેલ પુસ્તક બાળ ઉછેર બે હાથમાં ની રેકોર્ડબ્રેક પચીસ હજાર નકલ વેંચાણના ઉંચા આંકને આંબવાના અવસરને વધાવવામાં આવ્યો, મનાવવામાં આવ્યો, જેમાં અગ્રણી ઉદ્યોગકાર અને સમાજ શ્રેષ્ઠી ગોપાલભાઈ ચારોલાએ 1000 બુક સ્પોન્સર કરેલ છે એમનું અને એમના પરિવારનું અદકેરું સન્માન કરાયું હતું.તેમજ આ ઉંચ આંકને આંબવામાં જેમને સહયોગ આપેલ છે એવા લોકો જેમાં બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી એ પોતાની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી મોરબી અને માળીયા તાલુકાની 260 જેટલી પ્રાથમિક શાળાઓમાં બબે પુસ્તક અર્પણ કરવામાં આવેલ,એવી જ રીતે અજય લોરીયા ચેરમેન બાંધકામ સમિતિ દ્વારા મોરબીના આંગણવાડી કેન્દ્રોમાં બાળ ઉછેર બે હાથમાં પુસ્તક આપેલ,એવી જ રીતે અનેક સહયોગી દાતાઓએ આ પુસ્તકની ઘર ઘર સુધી પહોંચાડવામાં અદકેરું યોગદાન આપેલ છે એ તમામ દાતાઓના ફોટોગ્રાફ તેમજ વિડીયોની ડોક્યુમેન્ટરી દ્વારા સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમમાં બ્રિજેશભાઈ મેરજા અન્ય કાર્યક્રમમાં રોકાયેલા હોય આવી શક્યા નહોતા પણ શુભેચ્છા સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. પૂજ્ય દામજી ભગત,ડો. દિપકભાઈ બાવરવા પ્રેસિડન્ટ ઓફ આઈ.એમ.એ. ડો.મનુભાઈ કૈલા પ્રમુખ ઉમિયા સમૂહ લગ્ન સમિતિ તેમજ આ કાર્યક્રમના દાતા ડી.એલ.રંગપડીયા અગ્રણી ઉદ્યોગકાર નિલેશભાઈ જેતપરિયા,હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાળજા,વગેરે સિરામિક એસોસિએશનના તમામ પાંખના પ્રમુકો અને અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ ડો.જ્યંતીભાઈ ભાડેસીયા પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી વગેરેએ કોમનમેન ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ બાલ ઉછેર બે હાથની આ વિકાસ યાત્રાને અને તમામ દેલર દાતાઓની દાતારીને બિરદાવી હતી. ડો.સતિષભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબી જેમ ઉદ્યોગક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે એમ સાહિત્ય ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે,નામી લેખકોના પુસ્તકો પણ આ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતા ત્યારે મોરબીની સાહિત્યપ્રેમી જનતાએ બાળ ઉછેર બે હાથમાં પુસ્તક વાંચ્યું છે,વાગોળ્યું છે અને વખાણ્યું છે, ત્યારે આ પ્રસંગે પુસ્તકને સહયોગ આપનાર તમામ દાનવીર દાતાઓનો આ તકે ઋણ સ્વીકાર કરું છું.” રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એ.આર.ચંદ્રાસલા મંત્રી કૉમનમેન ફાઉન્ડેશન તેમજ જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રા ટ્રષ્ટિ નિલકંઠ વિદ્યાલયે ખુબજ જહેમત ઉઠાવી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...