મોરબીને પેરિસ બનાવવાની વર્ષોની વાતો સામે વારંવાર ઉભરાતી ગટરો વરસાદી પાણીના ભરાવો ટ્રાફિક સમસ્યા બિસ્માર રોડ રસ્તા સહિત અનેક પાયાની સુવિધાઓ કહી શકાય તેનો યોગ્ય કોઈ ઉકેલ આવ્યો ન હોય ત્યારે નવા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે કામ થશે તેવી વાતો પર મોરબીવાસીઓ ને કેટલો ભરોસો બેસશે ?
મોરબી: વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ આળસ ખંખેરી મોરબીના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટો રજૂ કરી આશરે રૂપિયા ૧૦૦ કરોડનાં કામોને સિદ્ધાંતિક મંજૂરી માટે સરકાર માં મોકલ્યાછે જોકે આ મોરબી નગરપાલિકા મોરબીવાસીયોને મુળભુત સુવિધાઓ આપવામાં વામણી પુરવાર થઇ છે ત્યારે આ પ્રોજેક્ટ પર લોકોને કેટલો ભરોસો બેસે તેવો પ્રશ્ન ઊભો થાય તે સ્વાભાવિક છે
તાજેતરમાં મોરબી પાલિકાના અધિકારી પદાધિકારીઓના પ્રશ્નો તેમજ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે એક સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ કામોના પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું
મોરબી નગરપાલિકા મોરબીવાસીઓ ના મૂળભૂત અધિકારો પૂરા પાડવામાં હંમેશા વામણી પુરવાર થઇ છે હાલમાં પણ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની મોકાણ છે તો ભૂગર્ભ ગટરના ઢાંકણા ઓ વારે ઘડીએ તૂટવા રાત્રિના સમય લાઈટો બંધ અને દિવસ ના અજવાળા કરતી હોય લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ-રસ્તાઓ હાડપિંજર માં ફેરવાતા સમય લાગતો નથી નવા બનાવેલા રોડ રસ્તા ઉપર થીંગડા મારી કામ ચલાવાય છે જ્યારે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાનો હજુ સુધી કોઈ કાયમી ઉકેલ નગરપાલિક શોધી શકી નથી હાલમાં પણ ઘણા વિસ્તારમાં ઉભરાતી ગટરોના પાણી ની સમસ્યાઓ ઉકેલાય નથી મોરબીવાસીઓ ની જે રોજ ની સમસ્યાઓ છે તે પાલિકા હલ કરી શકતી નથી પરંતુ નવા પ્રોજેક્ટ રજૂ કરી પ્રજાને જરૂર લોલીપોપ આપવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે પણ આળસ ખંખેરી નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું આહલાદક વાતાવરણ ઉભુ કરી મોરબી વાસીઓને હેપ્પી હેપ્પી રાખવા પ્રયાસો શરૂ કરી દીધા છે
મળેલી સંકલન સમિતિમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, સભ્યો, ચીફ ઓફિસર, ડે.કલેકટર ડીએમ ઝાલા, રિજિયોનલ કમિશનર સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી મહત્વના પ્રોજેક્ટ ની ચર્ચા કરી હતી જેમાં મચ્છુ નદી ઉપર મહાપ્રભુજીની બેઠક અને સામે મચ્છુ માતાજીના મંદિરની સાઈડ પર રૂપિયા ૨૫ કરોડના ખર્ચે બનનાર રિવરફ્રન્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરી સિદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા છે જ્યારે પંચાસર ચોકડી થી બજરંગ સર્કલ સુધીના પાંચ કિ.મી.ના કેનાલ રોડ ને બંધ કરી ત્યાં પાર્કિંગ વ્યવસ્થા સાથે સાથે બગીચો મ્યુઝિકલ ફાઉન્ડેશન સહિતના ૨૭ કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ ને પણ છે તાંત્રિક મંજુરી માટે મોકલ્યા છે આ ઉપરાંત ત્યાં રોડની બન્ને સાઈડ ઉપર સાયકલ ટ્રેકનું કામ શરૂ કરાશે તેમ જ મહત્વનો નગરપાલિકાનો ચાર મેગાવોટ સૌર ઊર્જા પ્લાન્ટ પંચાસર રોડ પર આવેલ નંદી ઘર ની બાજુ મા૪૦હજાર ચો.મી જમીન પર બનશે ૨૯ કરોડોના ખર્ચે નિર્માણ થવાનો હોય તે પ્લાન્ટ ને પણ સિદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા છે ટુંકમાં શહેરની કાયાપલટ કરવા માટે સો કરોડના વિકાસ કામોને સિદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા હોય આવનાર દિવસોમાં મોરબી શહેરની સકલ અને સુરત બદલાશે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...