ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હનુમાનજી મંદિરે પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી અને વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા.
વાઘગઢ ગામની શેરીઓના ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી મહર્ષિ દયાનંદ શેરી, સ્વામી વિવેકાનંદ શેરી વગેરે નામકરણ કરવામાં આવ્યા હતા તેમજ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં ખેવના ધરાવતા વડીલો, બહેનો અને માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગાન કરવા આવી રહ્યું હતું જે સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે હોંશે વધાવીને ગામને વ્હાઈટ હાઉસ જેવું બનાવે દીધું છે. આ વ્હાઈટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઈ બારૈયાએ લીધી હતી અને રંગરોગાન કરવાનો તમામ ખર્ચ આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત હનુમાન જયંતિ નિમિત્તે આખા ગામનો મહાપ્રસાદ સવજીભાઈ દેવશીભાઈ બારૈયા દ્વારા યોજવામાં આવ્યો હતો તેમજ ભારતના મહાપુરૂષો પરથી શેરીઓના નામ રાખવા પાછળનો તમામ ખર્ચ કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્રારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યને બિરદાવવા માટે વાઘગઢ ગ્રામ પંચાયતના બિનહરીફ યુવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ જયેશભાઈ અને પંચાયત બોડી તથા તલાટી મંત્રી શીતલબેન દ્રારા સહયોગ આપનાર અને શ્રમદાન કરનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ, દેવેન્દ્રભાઈ ફેફર અને રમણિકભાઈ વડાવીયા દ્રારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...