હાલના સમયમાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ છે છાશવારે વધતા ડીઝલના ભાવો દવા બિયારણ ના ભાવો મોંઘી થતી વિજળી આમ મોંઘવારીનો માર સહન કરતો ખેડૂત માંડ બે છેડા ભેગા કરી રહ્યો છે ત્યારે ફરી એકવાર રાસાયણીક ખાતર માં થયેલો ભાવ વધારો ખેડુતો ની કમ્મર ભાંગી નાંખશે તો આ ભાવ વધારો ખેડૂતોના હિતમાં પાછો ખેંચવાની માંગ સાથે ગ્રાહક સુરક્ષા મંડળે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે
ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પત્ર લખી રજૂઆત કરી છે કે તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતર જેમાં ડીએપી રૂ ૧૫૦, એન.પી.કે માં રૂ ૨૮૫ નો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ખેડૂતો પર બોજા સમાન છે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે હાલની સ્થિતિમાં જમીનમાં રાસાયણિક ખાતર નુ ઉત્પાદન ઘણું ઓછું આવે છે જેથી રાસાયણિક ખાતર ફરજીયાત છે જેથી ભાવ વધારાથી ખેડૂતોને આર્થિક નુકશાન ના થાય અને ખેડૂતોના હિતમાં ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...