મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના સોશિયલ મિડીયા સેલ ના જિલ્લા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા તેમજ જય વડવાળા ગૃપ
મોરબી : લાલપર ગામના રબારી સમાજ તથા પટેલ સમાજ દ્વારા ચાલતું જય વડવાળા ગૃપ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પદયાત્રીઓને સવારનો નાસ્તો આપવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં પદયાત્રીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
લાલપર ગામ રબારી સમાજ તથા પટેલ સમાજ દ્વારા ચાલતું જય વડવાળા ગૃપ તથા આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા દ્વારા દ્વારકા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પદયાત્રીઓને સવારના નાસ્તામાં ગાંઠીયા,જલેબી,મરચાં અને ચાનો નાસ્તો આપવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.આ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી દર વર્ષે સેવા આપવા માટે આવે છે અને અનેક ભકતો લાભ પણ લે છે.
મોરબી: ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્યમાં આગામી તારીખ 17-05-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે. જેમાં આવતીકાલે 20-5-2024ને સોમવાર ના રોજ પારાયણ દરમિયાન નરનારાયણદેવ ગાદી પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ. આચાર્ય ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારશે,...
લઘુઉદ્યોગ ભારતીએ MSME ઉદ્યોગોનું દેશમાં સૌથી મોટું સંગઠન છે. દેશના ૫૬૬ જિલ્લાઓમાં અને ૧૧૩૭ ઔદ્યોગીક ક્ષેત્રોમાં તેના સભ્યો પથરાયેલા છે અને કુલ સદસ્યતા પચાસ હજાર થી વધારે છે.
મોરબી શહેરમાં ૨૫૦ થી વઘુ સભ્યો સાથે લઘુ ઉદ્યોગ ભારતી કાર્યરત છે જ. ટંકારા તાલુકામાં આ સંગઠનને કાર્યરત બનાવવા એક બેઠકનું...
મોરબી: મોરબી નીવાસી નર્મદાબેન ગોવિંદભાઈ કાસુન્દ્રાનુ તા. ૧૮-૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું તા. ૨૦-૦૫- ૨૦૨૪ ને સોમવાર, સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ મધુવન હોલની બાજુમાં, અનીલ પાર્ક સોસાયટી, છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખેલ છે.
...