મોરબી વિદ્યાદાન મહાદાનને ચરિતાર્થ કરવા પાટીદારધામ ના પ્રમુખ સેવક દેકાવડિયા કિરીટ ભાઈના ધર્મ પત્ની શોભનાબેનનો જન્મ દિવસ હોય…તેઓએ જન્મ દિવસની ઉજવણી કેક કાપી કે પાર્ટી કરીને કરવાને બદલે પાટીદાર ધામ કે જે Gpsc ના ક્લાસ ચલાવે છે તેમાં આર્થિક યોગદાન આપીને જન્મદિવસની સાદાયથી પ્રેરણાદાયી ઉજવણી કરી
સમાજને એક નવો રાહ ચિંધ્યો છે…જેથી ખોટા ખર્ચ કરવા કરતાં આપણી લક્ષ્મી શિક્ષણ અને આરોગ્ય સંસ્થા માં વપરાય તેવો હેતુ સિદ્ધ કર્યો છે…આજે શોભનાબેન ને ચોમેરથી સેવાકિય પ્રવૃત્તિ કરતા રહેવાની અને જન્મ દિવસની શુભકામના મળી રહી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...