બગથળા : કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હરું.આ કેમ્પમાં રાહતદરે સેવાઓ આપવામાં આવી હતી.કેમ્પનો 250 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન બગથળા કુમાર શાળામાં ગત તા.3ના રોજ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં બગથળા ગામના મુળ વતની ડૉ.જીગ્નેશ મેવા કેન્સર સર્જન,ડૉ.વિશાલ મેવા (ફિઝિશિયન આઇ સી યુ નિષ્ણાત),ન્યુરોસર્જન ડો.નિધિ કુમાર પટેલ,ઓર્થોપેડિક ડો.એન.બી.પટેલ,લેપ્રોસ્કોપીક સર્જન ડો.એસ.એન.પટેલ,આંખના નિષ્ણાંત ડો. હાર્દિક પટેલ.ઈ એન ટી સર્જન ડો.અલ્પેશ પટેલ ,ડો.ડેનિસ આરદેશના,બાળકોના નિષ્ણાત ડો.શ્રદ્ધા હાલપરા,ડો. સતીશ સાણજા ડો. ધર્મેશ ઝાલાવાડીયા,ફિજીઓથેરાપિસ્ટ ડો. પાયલ સરધારા ,ડો.ઉર્વશી કાનાણીએ માનદ સેવા આપી હતી.આ કેમ્પમાં 250 દર્દીઓએ સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો હતો.બગથળા નકલંગ મંદિરના મહંત દામજી ભગતએ દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું.બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હિરેન વાસદડિયા અને જિલ્લા સદસ્ય સતીશ મેરજા અને આચાર્ય દિનકરભાઇ મેવાએ આ કેમ્પની કામગીરી દરમ્યાન વ્યવસ્થામાં મદદરૂપ થયેલ હતા.યુનાઇટેડ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દરેક પ્રકારની ઉચ્ચ કોટિની આરોગ્ય સેવાઓ રાહત ભાવે આપે છે.તેમજ સમાજની સ્વાસ્થ્ય સેવા માટે હોસ્પિટલ હંમેશ સમર્પિત રહે છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...