મોરબી : માળિયા તાલુકાના હરિપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ અને એક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના મોત થયા છે.જ્યારે અંદાજીત ૮ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ જેતપુરના પીઠડીયાનો પરિવાર છોટાહાથીમાં કચ્છના કબરાઉ જતો હતો. ત્યારે માળિયા તાલુકાના હરિપર ગામ પાસે સૂરજબારી રોડ ઉપર આજે સવારે રોંગ સાઈડમાં જતા છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છોટાહાથીમાં સવાર ૨ મહીલાના મોત થયા હતા. જેમાં ચંદાબેન વિપુલભાઈ ઉ.વ.૩૦ અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા ઉ.વ.૭૦ રહે. બન્ને પીઠડીયા તા.જેતપુરવાળાના મોત થયા હતા જ્યારે અંદાજીત અન્ય ૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અંગે જાણ થતાં જ ૪ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...