માળીયા (મી): સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા આગળ રહેતું દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર શંક્રાંતની ઉજવણી રંગે ચંગે કરાઈ હતી. જેમાં માળિયા (મી.) તાલુકાના, હરીપર ગામની શાળાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓને આ પર્વની ઉજવણી માટે આમંત્રિત કરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ પતંગ ઉડાવી મજા માણી હતી તેમજ ચીક્કી અને મમરાના લાડવાનો આનંદ લીધો હતો.
તદઉપરાંત આ પર્વની મજા વધારા વિદ્યાર્થીઓ માટે રમત ગમત સહિત ઘણી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિવિધ પ્રકારની વ્યક્તિગત તથા ગ્રુપ રમતો રમાડવામાં આવી હતી, અને તેમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા. આ પર્વની ઉજવણી બદલ હરીપર શાળાના શિક્ષક તથા વિદ્યાર્થીઓ દ્વારા દેવ સોલ્ટનો અભાર વ્યક્ત કરાયો હતો.
આ કાર્યક્રમને સફળ બનવા માટે કંપનીના સિનિયર અધિકારી વિવેક ધ્રુણા એ જેહમત ઉઠાવી હતી, જેમાં કંપનીના અધિકારી ભુપતસિંહ જાડેજા, અબેદીન જેડા, રમજાન જેડા, જલાભાઇ ડાંગર અને સામંત સવસેટા હાજર રહ્યા હતા.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...