મોરબી: વિશ્વભરના જૈનોના આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે તાજેતરમાં થયેલ તોડફોડ તથા ભગવાન આદિનાથ ના પગલાને ખંડીત કરવાના કૃત્યનો વિરોધ કરીએ છીએ અને સમગ્ર ઘટનાને વખોડી અને જવાબદારો સામે પગલા ભરવા અને ફરી આવી ઘટના નો બનવા પામે તેવા પગલા લેવા સમગ્ર જૈન સમાજની માંગણી સાથે મોરબી જૈન સમાજ દ્વારા નીચે મુજબ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
મોરબીના જૈન સમાજ દ્વારા પાલીતાણાની બાજુમાં આવેલ રોહીશાળા સ્થિત પ્રથમ તીર્થંકર યુગાદિદેવ આદેાર ભગવાનના પગલાને ખંડીત કરી જૈનોની શ્રધ્ધાને ઠેસ પહોંચાડેલ છે આવું કૃત્ય કરનારા અસામાજિક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવી. શત્રુંજય ગીરીરાજ ઉપર અમારા ગઢ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી અને દહેશત ફેલાવેલ છે તેમા જવાબદાર શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી, શત્રુંજય ગીરીરાજની આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર જમીનના મનનને રોકી વન વિભાગની માલિકીની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે અન્ય બીજાના વ્યક્તિગત નામ ઉપર જમીન ટ્રાન્સફર કરનાર ભ્રષ્ટ અધિકારીઓ વિરુધ્ધ તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરવી.
આવા અસામાજિક તત્વો દ્વારા સ્થાનીક ગ્રામજનોને ખોટીરીતે બહેકાવી એકબીજા વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો અને અશાંતિનું વાતાવરણ ઉભુ કરવાનું જે ષડ્યત્ર ચાલે છે તેવા વૈમનસ્ય ફેલાવનારા શખ્સો વિરુધ્ધ કાર્યવાહી કરવી ઈનવર્ડ કલા કલેક્ટર કચોરી, ગુજરાત સરકારે થોડા સમય પહેલા પાલીતાણાને સમગ્ર વિશ્વનું સૌ પ્રથમ ૧૦૦% શાકાહારી શહેર જાહેર કરી દારૂ અને માંસાહાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરેલ છે તેની અમલ કરાવવા મોબી જીલ્લ}, તળેટી વિસ્તારમાં બાબુના જૈન મંદિરની આસપાસ જે જમીન ઉપર ગેર કાયદેસર કબજો કરેલ છે. તેઓને લેન્ડ બેકીંગના કાયદા હેઠળ આવા શખ્સો વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...