મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનનું બાઇક કોઈ કારણોસર રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને નીચે પટકાયેલા યુવાનનું માથું ફૂટપાથ સાથે ભટકાયું હતું અને તેને માથામાં ગંભીર ઈજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકના ભાઇની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના વતની અને હાલમાં સીરામીક સિટીમાં એફ-1 બ્લોક નંબર 102 માં રહેતો મોહીતકુમાર નંદકિશોરભાઇ શ્રીવાસ ગત તા.8ની મોડીરાત્રે મોરબી શહેરમાં મહારાણ પ્રતાપ સોસાયટી સામે સર્વીસ રોડ ઉપર પોતાનું બજાજ ડીસ્કવર મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા યુવાન ઢસડાઈ રોડની ફૂટપાથ સાથે અથડાયો હતો. અકસ્માતમાં યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ રોહિતભાઈ નંદકિશોર શ્રીવાસ (25) રહે. સિરામિક સિટી વાળાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...