ઉનાળાના આકરાં તાપ અને કાળઝાળ ગરમી માં અબોલ પશુપંખીઓ નેં બહું હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ખાસ કરીને પશુ અને પક્ષીઓને ભારે હાલાકી અને પીવાના પાણીની તકલીફ જોવા મળે છે જેમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પશુઓની તરસ છીપાવવા માટે શહેરના અનેક વિસ્તારમાં પાણીની ટાંકી મુકવામાં આવી હતી
જે સેવાકીય પ્રોજેક્ટમાં કવિતા મોડાણી, રંજના સારડા, ચંદા કાબરા, રેખા મોર, કુસમ મિશ્રા, નિશી બંસલ, બબીતા સાંધી, કલ્પના શર્મા સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ મોરબીમાં સેવાકીય કાર્યો કરવા માટે નવી સંસ્થા શરુ કરી છે અને પ્રથમ પ્રોજેક્ટ પશુઓના લાભાર્થે સફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...