ઉનાળાના આકરાં તાપ અને કાળઝાળ ગરમી માં અબોલ પશુપંખીઓ નેં બહું હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ખાસ કરીને પશુ અને પક્ષીઓને ભારે હાલાકી અને પીવાના પાણીની તકલીફ જોવા મળે છે જેમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પશુઓની તરસ છીપાવવા માટે શહેરના અનેક વિસ્તારમાં પાણીની ટાંકી મુકવામાં આવી હતી
જે સેવાકીય પ્રોજેક્ટમાં કવિતા મોડાણી, રંજના સારડા, ચંદા કાબરા, રેખા મોર, કુસમ મિશ્રા, નિશી બંસલ, બબીતા સાંધી, કલ્પના શર્મા સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ મોરબીમાં સેવાકીય કાર્યો કરવા માટે નવી સંસ્થા શરુ કરી છે અને પ્રથમ પ્રોજેક્ટ પશુઓના લાભાર્થે સફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...