મોરબી : સમગ્ર દેશમાં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સતત બે વર્ષથી કોરોના મહામારી નાં કારણે મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી ઘરમાં જ કરી હતી આ વર્ષે કોરોના ગાઇડ લાઇન માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા દેશભરમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા ઉજવણી કરવામાં આવી હતી અને રમઝાન ઈદની ઉજવણી નિમિતે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી હતી.
મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસમાં તમામ રોઝા પૂર્ણ થયા બાદ આજે રમઝાન ઇદની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાંતિ અને કોમીએકતાની મિશાલ કાયમ રાખતા મોરબી શહેરમાં કોમી એખલાસભેર ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 8 વાગ્યે ગ્રીનચોક ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ખાતેથી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ ઝુલુસ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહ દરગાહ ખાતે સામુહિક નમાઝ અદા કરીને મુસ્લિમ બિરાદરોએ સમગ્ર વિશ્વમાં અમન કાયમ રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી. બાદ મુખ્યમાર્ગો ઉપર ઝુલુસ ફરી ખાખરેચી દરવાજા પાસે આવેલ હૈદરી મસ્જિદ પાસે પૂર્ણ થયું હતું. આ ઝુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણી રસીદમિયા મદનીમિયા બાપુની આગેવાની મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...