મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજ તેમજ ભાજપ અગ્રણી દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા) ની મોરબી ફેઈર પ્રાઈઝ શોપ એસો. ના પ્રમુખ પદે નિયુક્તિ થતા સન્માન કરવા મા આવ્યુ
તાજેતર મા મોરબી સસ્તા અનાજ ની દુકાનો ના સંગઠન (ફેઈર પ્રાઈઝ શોપ એસોશિયેશન) ની બેઠક મળી હતી જેમા મોરબી રઘુવંશી સમાજ તેમજ ભા.જ.પ. અગ્રણી દીનેશ ભાઈ ભોજાણી (દીનુ મામા) ની પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવા મા આવી હતી.
જે બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, જીતુભાઈ કોટક સહીતનાઓ એ માનનિય શ્રી દીનેશભાઈ ભોજાણી નુ સન્માન કરવા મા આવ્યુ હતુ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...