મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજ તેમજ ભાજપ અગ્રણી દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા) ની મોરબી ફેઈર પ્રાઈઝ શોપ એસો. ના પ્રમુખ પદે નિયુક્તિ થતા સન્માન કરવા મા આવ્યુ
તાજેતર મા મોરબી સસ્તા અનાજ ની દુકાનો ના સંગઠન (ફેઈર પ્રાઈઝ શોપ એસોશિયેશન) ની બેઠક મળી હતી જેમા મોરબી રઘુવંશી સમાજ તેમજ ભા.જ.પ. અગ્રણી દીનેશ ભાઈ ભોજાણી (દીનુ મામા) ની પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવા મા આવી હતી.
જે બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, જીતુભાઈ કોટક સહીતનાઓ એ માનનિય શ્રી દીનેશભાઈ ભોજાણી નુ સન્માન કરવા મા આવ્યુ હતુ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...