મોરબી: હાલમાં બોલિવુડ ફિલ્મ પઠાણનુ એક ગીત રીલીઝ કરવામાં આવ્યું છે જે ગીતમાં ભગવાનુ અપમાન કર્યું હોવાનો મુદો ઉઠાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા ફિલ્મના પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની દ્વારા સરકારને અને બધા જ સિનેમા થિયેટરના માલિકોને જણાવવા આવ્યું છે કે જે પઠાણ પિક્ચરમાં જે ભગવા રંગ ધારણ કરીને હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવી છે તો બધા થિયેટરના માલિકોને ખાસ જણાવવા આવ્યું કે આ પઠાણ પિક્ચર મોરબીના એક પણ થિયેટરમાં ચાલુ કરવામાં ના આવે ચાલુ કરવામાં આવશે તો થિયેટરની નુકસા થશે તેની જવાબદારી ખુદ થિયેટર માલિકની રહેશે.
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોના હોદેદારો અને કાર્યકરો મોરબીના નગર દરવાજા ચોકમાં એકત્ર થયા હતા અને ફિલ્મ પઠાણનો વિરોધ નોંધાવ્યો હતો ફિલ્મ પઠાણના પોસ્ટર કાર્યકરોએ સળગાવી સુત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મ થીયેટરમાં રીલીઝ ના કરવાની માંગ કરી રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...