મોરબી ગમોરબી : નવલખી રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીના નવરંગ માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે વિકાસ વિદ્યાલયની બાળાઓ એ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી નવરંગ માંડવાંના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.સમગ્ર મોરબી પંથકમાં આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમાં મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા માતાજીનો નવરંગ માંડવો તા.11ના રોજ યોજાયો હતો.જેમાં રાવળદેવ હરદેવભાઈએ ડાકના તાલે માતાજીના ગરબા-દુહાની રમઝટ બોલાવી હતી.જેમાં માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના માંડવાંના દર્શનનો લાભ હજારો ભકતોએ લીધો હતો
વધુમાં માતાજીના માંડવા નિમિતે તા.9ને શનિવારે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબી વિકાસ વિદ્યાલયની 100 થી વધુ બાળાઓ મનમૂકી રમીને આનંદ વ્યક્ત કર્યો હતો.આ રાસ ગરબા કાર્યક્રમમાં મોરબીની અંજલી ઓરકેસ્ટ્રા રમેશ ભદ્રાની ટીમે વિનામૂલ્યે સેવા આપી બાળાઓને રમાડી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...